Chapter : નિકાહ
(Page : 198-199)
સવાલઃ– અમારા સાંભળવામાં આવ્યું છે કે શીઅહ લોટીયા–વ્હોરાની છોકરી સાથે નિકાહ થઈ શકતા નથી, આ વાત સાચી છે ? કલિમો પઢાવીને નિકાહ થઈ શકે કે નહિ ?
જવાબઃ– લોટીયા વહોરા એ શીઅહ પંથી લોકોની એક જમાઅત છે અને શીઅહ પંથી લોકોની ઘણી જમાઅતોના ઘણા અકીદાઓ અહલે સુન્નત વલ જમાઅતના અકીદાઓથી અને કુર્આન, હદીસથી વિરૂધ્ધ છે, માટે જે લોટીયા વહોરાની છોકરી સાથે શાદી કરવાની હોય તેના અકીદા એ પ્રમાણે ગલત અને ગુમરાહી ભર્યા હોય કે હઝરત અલી (રદિ.)ને ખુદા માને અથવા હઝરત જિબ્રઈલ(અલ.)ને વહી પહોંચાડવામાં ગલતી કરનાર માને અથવા હઝ. અબૂ બક્ર (રદિ.)ના સહાબીએ રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હોવાનો ઈન્કાર કરે અથવા હઝરત આઈશા (રદિ.) ઉપર બદકારીનો આક્ષેપ મુકે અથવા કુર્આન શરીફને અધુરૂ અથવા ફેરફાર થયેલું માને તો તે છોકરી કાફિર છે, તેની સાથે સુન્ની મુસલમાન છોકરાના નિકાહ દુરસ્ત નથી. હા, તે છોકરી આવા અકીદાઓથી તવબહ કરે અને કલિમો પઢી મુસલમાન બને તો તેની સાથે નિકાહ થઈ શકે છે. (શામી –ર/ર૮૯)
Log in or Register to save this content for later.