Chapter : નમાઝ
(Page : 452)
સવાલ :– નમાઝમાં રુકૂઅમાંથી ઊભા થઈ સજદહમાં જતી વખતે બંને હાથોથી લેંઘાના પાયચા ગુઠણથી ઊંચા કરી સજદહમાં જવું કેવું છે ?
જવાબ :– નમાઝથી સંબંધિત કોઈ જરૂરત વગર ફકત ધૂળથી કપડાંની હિફાઝત માટે સજદહમાં જતી વખતે આ પ્રમાણે પાયચાઓ ચઢાવવા મકરૂહ છે, બાકી નમાઝ તો દુરૂસ્ત થઈ જશે, ફાસિદ નહિ થાય.
જો વગર ચઢાવ્યે સજદહમાં જવાથી કપડું ખેંચવાથી તકલીફ થવાના લઈ અથવા કપડું ફાટી જવાના ભયના લઈ ધ્યાન તે તરફ પરોવાયેલું રહેતું હોય તો સજદહમાં જતી વખતે પાયચા ચઢાવીને સજદહમાં જવું વગર કરાહતે જાઈઝ છે.(‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૪૩૦)
Log in or Register to save this content for later.