Chapter : નિકાહ
(Page : 191-192)
સવાલઃ– એક માણસની ઓરતનો ઈન્તિકાલ થઈ ગયો, તેનાથી એક પુત્ર છે, હવે તે માણસે બીજા નિકાહ કર્યા છે, તો તેના પહેલી ઓરતના પુત્રના નિકાહ તેની બીજી ઓરતની બહેન સાથે જાઈઝ છે કે નહિ?
જવાબઃ– પૂછેલી સૂરતમાં મજકૂર માણસની પહેલી ઓરતથી જન્મેલા પોતાના પુત્રના નિકાહ બીજી ઓરતની બહેન સાથે જાઈઝ અને હલાલ છે, કારણ કે તે છોકરાના બાપની બીજી ઓરતની બહેન તેની સગી માસી નથી, બલ્કે ગેર સગી માસી છે, જેનાથી નિકાહ જાઈઝ છે. (તાઃ ૧ ઝૂલ હિજ્જહ ૧૪૧૩ હિજરી મુતાબિક ર૪ / પ / ૯૩ ઈસવી)
Log in or Register to save this content for later.