[૧પર] મર્હૂમ નાના ભાઈની વિધવા સાથે મોટા ભાઈના નિકાહ

Chapter : નિકાહ

(Page : 189-190)

સવાલઃ– એક કુટુંબમાં સગા બે ભાઈઓ છે, તેમાં નાનો ભાઈ એકિસડન્ટ થવાથી ગુજરી ગયો છે, તેના ચાર –પાંચ નાના છોકરાં છે, ૩ થી ૬ વર્ષની ઉમરના છે, મર્હૂમની ઓરતની ઉમર આશરે રપ વર્ષ છે, એની પરવરિશ માટે કંઈ પણ સાધન નથી અને મોટો ભાઈ જે બીજા ગામમાં જુદો રહે છે તેની ઉમર ૩પ વર્ષ છે. તેની શાદીને લગભગ ૧પ વર્ષ થવા આવ્યા પણ અવલાદ નથી. તો બધાં કુટુંબીઓનો મશ્વેરો છે કે જુની બાઈ સાથે રહેતી હોય તો રાખી મર્હૂમ ભાઈની વિધવા સાથે નિકાહ કરી લે, જેથી નાના ભાઈની અવલાદ પણ તેની સરપરસ્તીમાં મોટી થઈ જાય અને વિધવા બાઈની પણ નાની ઉમરે જિંદગી બગડે નહીં અને આ નાજુક વખતમાં ખોટા રસ્તે પણ જાય નહિ, તો ઉપર મુજબના વિચારોથી વિધવા બાઈના નિકાહ થઈ શકે કે નહિ? જવાબ આપશો.

જવાબઃ– જો હયાત મોટાભાઈની ઓરત સાથે મર્હૂમ નાના ભાઈની વિધવા ઓરતને સગી બહેન – સગી ફોઈ – સગી માસી જેવી એવી કોઈ સગાઈ ન હોય કે જેના લઈ એ બન્‍ને ઓરતોને એક સાથે નિકાહમાં રાખવી હરામ ઠરે અને હયાત ભાઈ બન્‍ને ઓરતોના પત્ની તરીકેના હકકો ભરણ પોષણ ખર્ચ, રહેઠાણ – પહેરવેશ વિગેરે પુરા કરવા માટે શકિતમાન હોય તો આ સૂરતમાં મર્હૂમની વિધવા સાથે હયાત મોટા ભાઈના નિકાહ વિના શંકાએ હલાલ અને જાઈઝ છે. અને યતીમોની દેખભાળનો પણ સવાબ મળશે.           (શામી – ર)

Log in or Register to save this content for later.