[૪ર૦] સફો વચ્ચે ખાલી જગ્યા હોવી

Chapter : નમાઝ

(Page : 445)

સવાલ :– એક મસ્જિદ છે, તેની શરઈ હદ અને સહનના વચ્ચે એક સફ થાય છે ત્યાં જુમ્‍અહ, ઈદૈન તેમજ વધારે લોકો હોય ત્યારે જમાઅતની સફ થાય છે. પણ અત્યારે વરસાદની મોસમ હોવાથી લોકો ત્યાં ઉભા ન રહેતા, એટલી જગ્યા છોડીને પાછળ સફ કરે છે. તો શું પાછળ સફ વાળાઓની નમાઝમાં નુકસાન થશે?

જવાબ :– વરસાદ અને તાપના કારણે જમાઅત ખાના અને સહનની વચ્ચે એક સફ બરાબર જગ્યા છોડવાથી પાછળની સફમાં નમાઝ પઢનાર નમાઝીઓની નમાઝમાં કોઈ ખરાબી અને કરાહત નહીં પેદા થાય. જો કોઈ અગવડ ન હોય તો સફો વચ્ચે આ પ્રમાણે અંતર ન રાખવું જોઈએ. હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ નજીક નજીક સફો બનાવવા ફરમાવ્યું છે.      (મિરકાત – ૩ / ૭૧, શામી – ૧)

Log in or Register to save this content for later.