Chapter : નમાઝ
(Page : 441)
સવાલ :– અમારે ત્યાં કેટલાક મુસલ્લી ભાઈઓ જયારે તેઓની એક અથવા બે રકઅત જમાઅતથી છૂટી જાય છે, ત્યારે પેશ ઈમામ સાહેબ પહેલી સલામ ફેરવવા માટે અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ કહે તેની સાથે જ પોતાની છૂટી ગયેલ રકઅત માટે ઉભા થઈ જાય છે અને કેટલાક પેશ ઈમામ સાહેબ બીજી સલામ ફેરવે ત્યાર બાદ ઉભા થાય છે તો આ બન્નેવમાંથી કઈ રીત સાચી છે? કે પછી બન્નેવ રીતો સાચી છે ? તે શરીઅત મુજબ લખી જણાવશો.
જવાબઃ– જયારે મસબૂક મુકતદીને એવો સંતોષ થઈ જાય કે ઈમામ ઉપર સજદએ સહવ નથી ત્યારે તે ઉભો થઈ શકે છે, પહેલી સલામની સાથે તેના પછી, અને બીજી સલામ પછી દરેક સૂરતમાં ઉભા થવું જાઈઝ છે, પરંતુ પહેલી સલામની સાથે જ ન ઉભા થવું જોઈએ કારણ કે ઈમામ સાહેબ સજદએ સહવ કરશે તો તેણે પાછા ફરી સજદએ સહવ કરવો પડશે અને સૌથી બેહતર આ છે કે ઈમામ બન્ને સલામોથી ફારિગ થાય ત્યાર પછી ઉભો થાય. (‘શામી–૧/૪૦૧,‘તહતાવી,‘મહમૂદિય્યહ–૧૬/૩૦૯)
Log in or Register to save this content for later.