Chapter : નમાઝ
(Page : 440)
સવાલઃ– ઈમામ સાહેબ નમાઝ પઢાવે છે, એમાં ગલતી થવાથી નમાઝ દોહરાવવામાં આવી આ નમાઝમાં જમાઅત સાથે નમાઝ પઢનાર સિવાય બીજા ૪ થી પ મુકતદીઓ જેઓ પહેલાથી છેલ્લે સુધી નમાઝમાં શામિલ ન હતા તેઓ પણ દોહરાવવામાં આવતી નમાઝમાં શામિલ થયા તો આ ૪ થી પ મુકતદીઓની નમાઝ થાય કે કેમ?
જવાબ :– જો નમાઝ કોઈ એવી ભૂલના કારણે લોટાવવામાં આવી હોય કે જે ભૂલથી નમાજ ફાસિદ થઈ જાય છે અને તૂટી જાય છે, તો આવી સૂરતમાં બીજી જમાઅતમાં એવા નવા માણસનું શામિલ થવું જાઈઝ છે, જેઓ પહેલી ફાસિદ થયેલી નમાઝમાં ઈમામ સાહેબ સાથે શામેલ ન હતા, જો નમાઝ એવી કોઈ ગલતીના કારણે લોટાવવામાં આવી હોય કે જેના કારણે નમાઝ ફાસિદ થતી નથી, બલકે મકરૂહે તહરીમી થાય છે તો આવી સૂરતમાં એવા નવા માણસોએ ફર્ઝ નમાઝની નિય્યતથી બીજી જમાઅતમાં શામેલ થવું જાઈઝ નથી જેઓ પહેલી જમાઅતમાં ઈમામ સાથે શામેલ ન હતા, જો એવા નમાઝીઓ ફર્ઝ નમાઝ પઢવાની નિય્યતથી બીજી જમાઅતમાં શામેલ થશે, તો તેઓની ફર્ઝ નમાઝ અદા નહિ થાય, અલબત્ત, ઈશા અને ઝોહરની નમાઝમાં નફલની નિય્યતથી દાખલ થઈ શકે છે, અને પોતાની અસરની ફર્ઝ નમાઝ પઢતા પહેલાં અસરની બીજી જમાઅતમાં પણ નફલની નિય્યતથી દાખલ થઈ શકે છે. (શામી–૧, તહતાવી)
Log in or Register to save this content for later.