Chapter : નમાઝ
(Page : 438)
સવાલ :–(ર) ઈમામ સાહેબે જયારે નમાઝ પઢાવે તે સમયે રુકૂઅમાંથી ઉભા થતી વખતે ”સમિઅલ્લાહુ લિમન્ હમિદહ” ની સાથે ”રબ્બના લકલ્ હમ્દ” પઢવુ જરૂરી છે કે કેમ ?
જવાબઃ–(ર) ઈમામ અબૂ હનીફહ (રહ.)ના મંતવ્ય મુજબ ઈમામ રુકૂઅથી ઉભા થતી વખતે ફકત ”સમિઅલ્લાહુ લિમન્ હમિદહ” પઢે , ”રબ્બના લકલ્ હમ્દ” ન પઢે, અને મુતુનમાં આ જ મસ્અલો લખેલ છે. (દુર્રે મુખ્તાર શામી–૧)
હઝરત અબૂ મૂસા અશઅરી (રદિ.) હઝરત અબૂ હુરૈરહ (રદિ.) હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે ઈમામ તેની તાબેદારી માટે નકકી થયા છે માટે તેનાથી વિરૂધ્ધ ન કરો, માટે જયારે તે તકબીર કહે તો તમો પણ તકબીર કહો, અને જયારે તે કિરાઅત પઢે તો તમો ચુપ રહો, અને જયારે ઈમામ ”વલદ્દાલ્લીન” કહે તો તમો આમીન કહો. અને જયારે રુકૂઅ કરે તો તમો રુકૂઅ કરો, અને જયારે ”સમિઅલ્લાહુ લિમન્ હમિદહ” કહે તો તમો ”રબ્બના લકલ્ હમ્દ” કહો.
આ હદીષમાં તસ્મીઅ અને તહમીદની ઈમામ અને મુકતદીઓ વચ્ચે વહેંચણી ફરમાવી છે કે ઈમામ માટે તસ્મીઅ કહેવાનુ છે અને મુકતદીઓ માટે તહમીદ કહેવાનો હુકમ છે. અને શર્હે મુન્યહમાં આ મંતવ્યને ઝાહિરુર્રિવાયત લખેલ છે. અને સાહિબે હિદાયહ (રહ.)એ આ મંતવ્યને પ્રાધાન્ય આપતા તેની દલીલ છેવટમાં બયાન ફરમાવી છે.
(‘બદાઈઅ – ૧/ર૦૯, ‘શર્હે મુન્યહ ૩૧૮, ‘હિદાયહ)
હઝરત સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ અને ઈમામ સાહેબ (રહ.)ના બીજા મંતવ્ય મુજબ ઈમામ માટે પણ તસ્મીઅ પછી તહમીદ પઢવી સુન્નત છે.
હઝરત આઈશહ (રદિ.)ની હદીષમાં છે કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) જયારે રુકૂઅથી પોતાનુ સર ઉઠાવતા તો ”સમિઅલ્લાહુ લિમન્ હમિદહ” – ”રબ્બના લકલ્ હમ્દ” પઢતા. (પહેલા મંતવ્ય મુજબ આ હદીષમાં એકલા નમાઝ પઢવાની હાલતનું વર્ણન છે) પરંતુ ઘણા ફુકહાએ કિરામ (રહ.)એ આ મંતવ્ય મુજબ ઈમામ માટે પણ ”રબ્બના લકલ્ હમ્દ” પઢવા લખ્યું છે. આ સૂરતમાં ઈમામની તહમીદ – મુકતદીની તહમીદ પછી અદા થશે.
(‘શામી – ૧ , ‘અહ.ફતાવા–૩/૩૧ર, ‘બદાઈઅ–૧)
Log in or Register to save this content for later.