Chapter : હજ
(Page : 280-081)
સવાલ :– મકકહ શરીફ અને મદીનહ શરીફમાં ઔરતોએ ઈમામ સાહેબ સાથે નમાઝ પઢવું હનફી મસ્લક પ્રમાણે ઈકતિદા જાઈઝ છે, એવું સાંભળવામાં આવ્યું છે કે ત્યાંના ઈમામ સાહેબ ઔરતોની નિય્યત પણ કરતા નથી, ખૈર જે પણ હોય, તફસીલથી જણાવશો કે રૂમ પર ઔરતો નમાઝ પઢે તો એક લાખ અથવા પચાસ હઝાર નમાઝનો સવાબ મળશે કે નહિ ?
જવાબ :– ઔરતોની ઈમામ સાથે નમાઝ પઢવા માટે ઈમામે ઔરતોની ઈમામતની નિય્યત કરવી શર્ત છે, જો ઈમામ તેમની ઈમામતની નિય્યત નહિ કરે તો ઈમામ પાછળ નમાઝ પઢનાર ઔરતોની નમાઝ જાઈઝ અને સહીહ નહિ થાય, માટે એ વિશે જાણકારી સહીહ હોય અથવા શંકાસ્પદ હો તો તે ઈમામ પાછળ નમાઝ ન પઢવી જોઈએ. (શામી–૧)
ઔરતો અગર મસ્જિદે નબવી છોડી રૂમ ઉપર નમાઝ પઢશે તો મજકૂર સવાબથી મહરૂમ નહિ રહે. મુસ્નદે અહમદ (ભાગ–૬/૩૭૧) માં છે કે હઝરત ઉમ્મે હુમૈદ (રદિ.) હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં હાજર થયાં અને અરજ કરી કે યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હું આપની સાથે નમાઝ પઢવાનું પસંદ કરું છું, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે હું જાણું છું કે તમે મારી સાથે નમાઝ પઢવાનું પસંદ કરો છો, પરંતુ તમારું કોઠડીમાં નમાઝ પઢવું એ તમારા કમરામાં નમાઝ પઢવાથી અફઝલ છે. અને તમારી તમારા કમરામાં નમાઝ એ તમારા વાડામાં (સહનમાં) તમારી નમાઝથી બેહતર છે અને તમારા સહનમાં તમારી નમાઝ એ તમારી કોમની મસ્જિદમાં તમારી નમાઝથી બેહતર છે, અને તમારી કોમની મસ્જિદમાં તમારી નમાઝ એ મારી મસ્જિદમાં તમારી નમઝથી બેહતર છે, (આ સાંભળી) ઉમ્મે હુમૈદે (રદિ.) પોતાના ઘરમાં મસ્જિદ બનાવવા કહયું, માટે તેમના માટે તેમના ઘરના છેલ્લા ખૂણામાં સૌથી અંધારાવાળી જગ્યામાં મસ્જિદ બનાવવામાં આવી અને તે પોતાની વફાત સુધી ત્યાં જ નમાઝ પઢતા રહયા. (અહકામુલ કુર્આન થાનવી – ૩/૪૪પ)
ઉપરોકત હદીષ અને બીજી ઘણી હદીષોથી આ વાત સાબિત થાય છે કે ઔરત માટે મસ્જિદ કરતાં અહિંઆ સુધી કે મસ્જિદે નબવી કરતાં પણ ઘરમાં નમાઝ પઢવી વધુ બેહતર અને વધુ સવાબનું કામ છે. (અહકામુલ કુર્આન – ૩/૪પ૬)
Log in or Register to save this content for later.