Chapter : હજ
(Page : 279-280)
સવાલ :– એવું સાંભળવામાં આવ્યું છે કે મદીનહ શરીફથી હાજીઓ એક જાતનું ફૂલ લાવે છે. જેને ”મદીનહ ફૂલ” કે ”મરયમ હવ્વા ફૂલ” વગેરે નામથી ઓળખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જયારે ઔરતની પ્રસૃતિનો સમય બિલકુલ નઝદીક હોય, એટલે કે પ્રસૃતિનો દુખાવો શરૂ થાય ત્યારે આ ફૂલને એક વાસણમાં પાણી લઈ તેમાં મુકવામાં આવે અને જેમ જેમ એ ફૂલ ફૂલતુ જશે તેમ તેમ પ્રસૃતિનો દુખાવો પણ નરમ પડતો જશે અને ઔરતની પ્રસૃતિમાં આસાની થઈ જશે. તો પૂછવાનું એ કે ખરેખર મદીનહ શરીફમાં ઉપરોકત નામી ફૂલની ફઝીલત આ લખ્યા પ્રમાણેની કોઈ હદીષે પાકથી સાબિત છે?
જવાબ :– હદીષ શરીફથી આવા કોઈ ફૂલની ફઝીલત અહકરની જાણમાં નથી, અલબત્ત, મરયમ બુટીને પ્રસૃતિ વખતે દૂધમાં નાંખીને ઔરત પાસે મૂકવાનું વર્ણન તારીખે મદીનહમાં સંક્ષિપ્ત રીતે છે. (તારીખે મદીનહ – ૩૭૬)
Log in or Register to save this content for later.