Chapter : નમાઝ
(Page : 434)
સવાલ :– કોઈ ખાસ માણસના ઈન્તિઝારમાં નમાઝને મોડી કરવી કેવી છે? જેમ કે બે – ત્રણ આલિમો અહીં આવવાના છે અને અસર મસ્જિદમાં પઢવાના છે, પછી એ લોકો જમાઅત ઉભી થઈ ત્યાં સુધી ન આવ્યા, તો શું એ લોકોના ઈન્તિઝારમાં જમાઅત ૧પ–ર૦ મીનીટ નકકી ટાઈમ કરતાં મોડી કરવી જાઈઝ છે? અને એ લોકો આવે પછી જ જમાઅત ઉભી થશે એવું કહેવું કેવું છે?
જવાબ :– નમાઝનો મુસ્તહબ વખત પૂરો થઈ જવાની સંભાવના ન હોય અને મસ્જિદમાં હાજર લોકો માટે આવનાર ખાસ મેહમાનોની રાહ જોવા માટે જમાઅતનું મોડું કરવું ભારરૂપ ન હોય તો નમાઝના પાબંદ નેક મખ્સૂસ આલિમોની રાહ જોવા માટે જમાઅતને મોડી કરવી જાઈઝ છે અને જો આ બે શર્તો પૂરી ન થતી હોય તો આવનાર મેહમાનોના ઈન્તિઝારમાં જમાઅત મોડી કરવી કરાહતથી ખાલી નથી.(‘શામી’ ઝક. – ર /૧૯૮, તહતાવી–૧/રર૦)
બેહતર સૂરત આ છે કે આવા મોકા પર અઝાન મોડી આપવામાં આવે અથવા અઝાન પછી જમાઅત મોડી થવાનું એલાન કરી આપવામાં આવે, તાકે આમ નમાઝીઓ માટે મસ્જિદમાં આવી ગયા પછી રાહ જોવી બોજરૂપ ન બને.
Log in or Register to save this content for later.