Chapter : હજ
(Page : 274)
સવાલ :– મારી ઉમર આશરે ૭૦ વર્ષની છે, હું ૧૪૧૬ હિજરીમાં હજની અદાયગી માટે ગયો, મારી સાથે બીજા પાંચ ભાઈઓ અને મારી અહલિયા સહિત બીજી ત્રણ ઔરતો એમ કુલ દસ જણ સાથે હતા.
હજના તમામ અરકાન ખુદાપાકના ફઝલોકરમથી જ અદા કર્યા, પરંતુ મકકહ મુઅઝ્ઝમહથી રવાનગીના એક રોજ અગાઉ મને સખત તાવ આવી ગયો શરીર બહુ તૂટતુ – ઉબ્કા (કૈ) થતી, આમ તબીઅત બહુ નરમ થઈ જતાં હું પાંચ વખતની નમાઝ માટે પણ હરમ શરીફમાં પહોચીં ન શકયો, જેથી તવાફે વિદાઅ માટે જવું બહું મુશ્કેલ થઈ ગયું, જેથી બહુ ફિકર થઈ તે દરમિયાન એક ઉર્દુ કિતાબ ”હમ હજ કૈસે કરેં – મઅ અહકામે હજ” મુસન્નિફ જનાબ મુફતી મુહમ્મદ શફીઅ સાહેબમાં મસાઈલ જોયેલ કે તવાફે સદરકે લિયે નિય્યત ભી જરૂરી નહીં હે, અગર વાપસી સે પહેલે કોઈ નફલી તવાફ કર લિયા હે તો વોભી સદર કે કાઈમ મુકામ હો જાતા હે. (ઝુબદહ વ ગુન્યહ)
આમ આ મસાઈલ જોતાં તવાફે વિદાઅ કર્યા વગર રવાના થઈ ગયા કારણકે હજ બાદ ઘણાં તવાફો કરેલાં હતાં અને બે રોજ પહેલાં તો એક રોજમાં પાંચ તવાફ કરેલ પછી બીમાર થઈ ગયો તો આ બાબત ખુલાસો જણાવશોજી.
જવાબ :– મજકૂર કિતાબમાં લખેલાં મસ્અલહ મુજબ તમોએ જે અમલ કર્યો તે બરાબર છે, તમારા છેવટમાં કરેલા નફલ તવાફથી તમારો તવાફે વિદાઅ અદા થઈ થયો. મજકૂર કિતાબમાં જે કિતાબોના હવાલાથી મસ્અલો લખવામાં આવ્યો છે તે બરાબર અને મોઅતબર છે.(ગુન્યહ ૧ર૦)
Log in or Register to save this content for later.