Chapter : હજ
(Page : 269)
સવાલ :– ઝુલહજનો ચાંદ થઈ ગયો અને બે દિવસ પછી ચેહરાના બાલ કાઢયા અને હજમાં ગયા તો શું હજ માટે જવાય કે નહિ? અને ચાંદ પછી ચહેરાના બાલ કાઢી શકાય છે? કે પછી એના માટે દમ દેવો પડશે કે નહિ?
જવાબ :– જે માણસનો કુરબાની કરવાનો ઈરાદો હોય તેણે ઝુલહજના ચાંદ પછી પોતાના વાળ અને નખ ન કાપવા મુસ્તહબ છે. અલબત્ત, જો ચાળીસ દિવસ અથવા તેથી વધુ મુદ્દતના હોય તો તેના માટે ન કાઢવા મકરૂહ છે, સિવાય એ કે તે એહરામની હાલતમાં હોય. (શામી– ૧/પ૬પ)
માટે જે માણસે પહેલી ઝુલહજ પછી અને એહરામથી પહેલાં વાળ અને નખ કાપ્યા હોય તે હજ માટે જઈ શકે છે અને તેના ઉપર દમ દેવો વાજિબ નહિ થાય અલબત્ત જો એહરામ બાંધ્યા પછી વાળ કાપ્યા હોય તો દમ દેવો વાજિબ છે. (શામી/ ર)
Log in or Register to save this content for later.