[૧ર૯] પત્નીની બહેનથી નિકાહ કરવા

Chapter : નિકાહ

(Page : 171-172)

સવાલઃ– જયારે ઉમરને ખબર પડી કે બે બહેનોને સાથે નિકાહમાં ના  રાખી શકાય, તો ઉમર હવે ઝુબેદા નામની ઓરત કે જેની સાથે શરીઅત મુજબ નિકાહ થયા હતા તેને તલાક આપવાનું કહે છે અને શરીફા કે જે ઉમરના ઘરે વગર નિકાહે રહી છે. તેને ઉમર પોતાની પાસે રાખવા માંગે છે અને ઝુબેદાને અલગ ઘર આપી બહેનના નાતાથી રાખવા ચાહે છે તો તલાક આપવી જરૂરી છે કે કેમ ? અને ઝુબેદાને અલગ ઘર આપી બહેનના નાતાથી રાખી શકે છે કે કેમ ?

જવાબઃ– જો ઉમરને શરીફાથી શાદી કરવી હોય તો શરીફાની બહેન ઝુબેદાને તલાક આપવી જરૂરી છે અને ઝુબેદાની તલાકની ઈદ્દત પૂરી થયા બાદ તે શરીફાથી નિકાહ કરી શકે છે, તે પહેલા નહીં, અને ઝુબેદાની ઈદ્દતની મુદ્દત પૂરી થતા સુધી તેને રહેવા માટે મકાન આપવું અને ભરણ પોષણ ખર્ચ આપવો ઉમરના શિરે જરૂરી છે તે પછી જરૂરી નથી અને બહેન તરીકે સમજવાથી બહેન નહીં ગણાય, બલ્કે પરાયી ઓરત જ ગણાશે માટે બીજી પરાયી ઓરતોની જેમ ઝુબેદાથી પરદો, વાતચીત તેમજ ઉઠવા બેસવામાં એહતિયાત રાખવો જરૂરી છે.(શામી ભાગ– ર/પ)

Log in or Register to save this content for later.