[૧૧૮] જો છોકરાની મા પતિ–પત્નીમાં રઝાઈ સગપણની ખબર આપે

Chapter : નિકાહ

(Page : 163-164)

સવાલઃ– ઝૈદની માતાનું કહેવું છે કે ઝૈદે મારી માતા એટલે પોતાની નાનીનું દૂધ પીધેલ છે અને દૂધ પણ દૂધ પીવાના સમયગાળામાં, જયારે ઝૈદની નાનીને પૂછવામાં આવ્યું કે શું તમે ઝૈદ એટલે તમારા નવાસાને દૂધ પીવડાવ્યું છે ? તો નાનીએ એવો જવાબ આપ્યો કે મને સ્પષ્ટ ખબર નથી, હાલ નાનીની ઉમર વર્ષ ૭ર છે, આ મામલામાં ફકત ઝૈદની માતા જ દૂધ પીવાની ખબર આપે છે અને માતાએ પણ આંખોથી જોયું નથી, તો શું ઝૈદની શાદી તેના મામા જે ઝૈદની માતાના કહેવા મુજબ રઝાઈ ભાઈ સમાન છે, તેમની છોકરી સાથે થઈ શકે? જો નિકાહ થઈ ચુકયા હોય અને અવલાદ પણ હોય તો તે સૂરતમા શું કરવું જોઈએ ? તેનું શરઈ માર્ગદર્શન આપવા મહેરબાની કરશો.  યાદ રહે કે આ મામલા વિશે શરઈ શહાદત પૂરી મળતી નથી.

જવાબઃ– ઝૈદની માતાની ખબરના સત્ય હોવા વિશે સંતોષ હોય તો ઝૈદ માટે આ નિકાહથી અલગ થઈ જવું અફઝલ અને એહતિયાત છે.(બદાઈઅ ભા. ૩ / ૪૧૬)

Log in or Register to save this content for later.