[ર૦૮] મદીનહ મુનવ્વરહના મકામાતે મુબારકની ઝિયારત

Chapter : હજ

(Page : 265-266)

સવાલઃ– આપણે મદીનહ મુનવ્વરહમાં હોય નમાઝ અને દરબારે રિસાલતમાં સલામ બાદ ફકત ૮ દિવસના મુકામમાં આટલું જ કરીએ અને ત્યાં જે બીજી મુબારક જગ્યાઓ છે, ત્યાં ખર્ચની લાચારી અથવા ઉમ્રના હિસાબે કમઝોરીના લઈ ન જઈએ તો શું હુકમ છે?

જવાબ :– મદીનહ મુનવ્વરહમાં મસ્જિદે નબવી અને રવઝએ અતહર સિવાય બીજી મુબારક જગ્યાઓએ જવું જરૂરી અને વાજિબ નથી પરંતુ મસ્જિદે કુબા જે મસ્જિદે નબવીથી ત્રણ કિ.મી ના અંતરે આવેલી છે, તે દુનિયાની ત્રણ મહાન મસ્જિદો પછી ચોથા નંબરે છે અને તેમાં નમાઝ પઢવાની અહાદીષમાં મખસૂસ ફઝીલત આવેલી છે માટે શનિવારના દિવસે ત્યાં જઈ ચાર રકઆત નફલ નમાઝ પઢવી એ તાકીદી મુસ્તહબ છે, માટે જો શકય હોય તો આફાકી કમ થી કમ આ મુસ્તહબ ઉપર અમલ કરી લે કારણ કે દૂરથી મુસાફરી કરી મદીનહ મુનવ્વરહ હાજર થનાર આફાકી આ સવાબ અને સઆદતથી વંચિત રહે એ યોગ્ય નથી.

                ઈમામ બુખારી અને ઈમામ નસાઈ (રહ.) હદીસ નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) દર શનિવારે કોઈક વાર પગપાળા અને કોઈક વાર સવારી ઉપર સવાર થઈને મસ્જિદે કુબામાં તશરીફ લાવતા અને ત્યાં નમાઝ પઢતા હતા અને હઝરત ઈબ્ને ઉમર (રદિ.) પણ આ સુન્‍નત ઉપર અમલ ફરમાવતા હતા, મુઅજમે તબરાનીમાં રિવાયત છે કે રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવ્યું છે કે જેણે સારી રીતે વુઝૂ કર્યું પછી મસ્જિદે કુબામાં દાખલ થયો અને ચાર રકઆત નમાઝ પઢી તો તેને એક ગુલામ આઝાદ કરવા બરાબર સવાબ થશે. તિરમીઝી શરીફની હદીષમાં છે કે જે માણસ પોતાના ઘરથી નીકળ્યો અને મસ્જિદે કુબામાં આવીને તેણે નમાઝ પઢી તેને ઉમરહનો સવાબ મળશે.    (ગુન્યહ – ર૦૯, ઉ.ફિકહ –૪/૭૧૪)

Log in or Register to save this content for later.