Chapter : નમાઝ
(Page : 424)
સવાલ :– નોકરીના સમય દરમ્યાન બસ જે સ્ટોપ પર પહોંચે તે સ્ટોપ ઉપર રોડ પર નજીકમાં મસ્જિદ હોય અને ઝોહર, અસર કે મગરિબની નમાઝનો જમાઅતનો ટાઈમ હોય અને જમાઅત ઉભી થઈ હોય કે જમાઅતને બે ત્રણ મિનિટનો સમય બાકી હોય તો તેવા વખતે મારે જમાઅત સાથે નમાઝ અદા કરવી કે એકલાએ અદા કરી મારી નોકરી પૂરી કરવી. (બસના મૂસાફરને ટ્રેન પકડવાની હોય કે આજુ બાજુ ગામડાની બસ પકડવાની હોય અથવા કોઈ ગામડાના અંદર ચાલીને જનાર હોય.)
જવાબ :– કોઈ કોઈ વાર પોતાની બસના પેસેંજરોની તકલીફનો ખ્યાલ કરીને જો જમાઅત શરૂ થઈ હોય તો જમાઅત છોડીને એકલા નમાઝ પઢી શકાય છે, પરંતુ હંમેશા આ પ્રમાણે જમાઅત છોડવી દુરૂસ્ત નથી. ચાહે તો પેસેંન્જરોને સમજાવવામાં આવે અથવા તો પોતાની નોકરીની જગ્યા તબદીલ કરવામાં આવે. (શામી ભાગ –૧/૩૭૪)
Log in or Register to save this content for later.