Chapter : નિકાહ
(Page : 154-155)
સવાલ :– એક બાળકની માતાને કોઈ કારણસર બે–ત્રણ દિવસ માટે અચાનક બહારગામ જવાનું થયું તો તે પોતાના દૂધ પીતા બાળકને ઘર ઉપર છોડીને બહારગામ ગઈ અને આ બાળક દૂધ વગર મરવાના નજીક પહોંચી ગયું. બાળકની ઉંમર ૭ થી ૮ મહિનાની છે. આવી હાલતમાં બાળકને તેની મોટી બહેન અથવા માસી દૂધ પીવડાવી શકે કે નહિ?
જવાબ :– મજકૂર બાળકને તેની બહેન અથવા માસી દૂધ પીવડાવી શકે છે, પરંતુ દૂધ પીવડાવ્યા પછી બાળકની નસબી બહેન અથવા માસી દૂધ પીનાર બાળકની રઝાઈ મા બની જશે અને આ દૂધની સગાઈના કારણે બીજી પણ અમુક ઓરતોથી નિકાહ હરામ થઈ જશે. માટે આ દૂધની સગાઈને યાદ રાખવી અને બીજાઓને તેની જાણ કરી દેવી જરૂરી છે, તાકે દૂધ પીનાર બાળકના નિકાહ ગફલતમાં કોઈ એવી ઓરતથી ન થઈ જાય કે જે દૂધની સગાઈથી હરામ થઈ ગઈ હોય, ફુકહાએ કિરામ (રહ.) લખે છે કે ઓરતો માટે જરૂરી છે કે બીજાના બાળકને વિના જરૂરતે દૂધ ન પીવડાવે અને જયારે બીજાના બાળકને દૂધ પીવડાવે તો એહતિયાતની રૂએ જરૂરી છે કે દૂધની સગાઈને યાદ રાખે અને શકય હોય તેમ બીજાઓની જાણમાં લાવી તેને મશહૂર કરી દે અને તેને લખી પણ લે. (ફતહુલ કદીર – ૩/૩૦પ)
Log in or Register to save this content for later.