Chapter : નિકાહ
(Page : 153-154)
સવાલ :– એક મુસલમાન ઓરતને બે પુત્રીઓ હતી અને તે બે પરિણીત પુત્રીઓ પૈકી એક પુત્રી પોતાના એક દૂધ પીતા પુત્રને છોડીને મૃત્યુ પામી અને તેના આ પુત્રને નાની અમ્માએ (મૃત્યુ પામનારની સગી માએ) પોતે દૂધ પીવડાવી મોટો કર્યો છે, હવે આ પુત્ર જવાન થયા પછી તેના નિકાહ તેની સગી માસીની પુત્રી સાથે જાઈઝ છે કે નહિ? યાદ રહે કે મજકૂર પુત્ર અને તેની માસીની પુત્રી દૂધ ભાઈ – બહેન થતા નથી, છોકરીની મા હયાત છે.
જવાબ :– મજકૂર છોકરો જેણે નાનપણમાં (અઢી વર્ષની ઉમરની અંદર) પોતાની સગી નાની અમ્માનું દૂધ પીધુ છે તેના નિકાહ તેની સગી માસીની પુત્રી સાથે હરામ છે કારણ કે નસબની સગાઈથી થતી સગી માસી પૂછેલી સૂરતમાં દૂધની સગાઈથી મજકૂર છોકરાની દૂધ બહેન પણ થઈ ગઈ છે અને મજકૂર નસબી માસીની પુત્રી દૂધની સગાઈના આધારે મજકૂર છોકરાની રઝાઇ (દૂધની સગાઈ વાળી) ભાણી થઈ ગઈ છે અને જેમ પોતાની નસબી ભાણી સાથે નિકાહ હરામ છે તે પ્રમાણે પોતાની રઝાઈ (દૂધની સગાઈવાળી) ભાણી સાથે પણ નિકાહ હરામ છે. (આલમગીરી – ૧/૩૪૩)
Log in or Register to save this content for later.