Chapter : નમાઝ
(Page : 420)
સવાલ :– ઈમામ સાહેબ પહેલાં કઅ્દહમાં અત્તહિય્યાત એવી રીતે પઢે છે કે કેટલાક નમાઝીઓની અત્તહિય્યાત બાકી રહે છે અને ઈમામ સાહેબ ત્રીજી રકઅત માટે ઉભા થઈ જાય છે તો મુક્તદીયોની નમાઝનુ શું ? અને ઈમામ સાહેબ કેવી રીતે અત્તહિય્યાત પઢે કે મુકતદીયોની અત્તહિય્યાત પૂરી થાય?
જવાબ :– મુકતદીઓ અત્તહિય્યાતના શબ્દો સાફ સાફ અદા થાય એ રીતે જલ્દીથી પઢી ઈમામ સાથે અત્તહિય્યાત પૂરી કરી લેવાની કોશિષ કરે છે અને જો એ પ્રમાણે પઢતા પણ ઈમામની પાછળ રહી જતા હોય તો ઈમામના પઢવામાં કોતાહી થતી હોય એ શકય છે, માટે ઈમામે અત્તહિય્યાતના શબ્દો સાફ રીતે અદા થાય એટલી ધીમી ગતીથી પઢવા જોઈએ, નહિ તો આ સૂરતમાં ઈમામતમાં કરાહત આવશે, કારણ કે ઈમામે મુકતદીયોની નમાઝનો ખ્યાલ કરવો જોઈએ. (શામી – ૧)
Log in or Register to save this content for later.