Chapter : નમાઝ
(Page : 415)
સવાલ :–(ર) રૂકૂઅ તથા સજદહમાં ઓછામાં ઓછી ત્રણ વાર તસ્બીહ પઢવી અને જો વધારે પઢી શકાય તો પઢવી કે નહિં ? એમ સાંભળ્યું છે કે ઈમામથી વધારે તસ્બીહ ન પઢવી જોઈએ.
જવાબ :–(ર) જો મુક્તદી રૂકૂઅ–સજદહમાં ત્રણથી વધારે તસ્બીહ પઢી શકતો હોય તો પઢવી જોઈએ. મુકતદીની તસ્બીહ પ્રમાણમાં ઈમામની તસ્બીહ કરતાં વધી જાય તો પણ વાંધો નથી, કારણ કે તસ્બીહની સંખ્યામાં ઈમામની તાબેદારી શર્ત નથી, બલ્કે ઈમામ બિલકુલ તસ્બીહ ન પઢે તો પણ મુકતદીએ તસ્બીહ ન છોડવી જોઈએ. અલબત્ત, વધુ તસ્બીહ પઢવાના કારણે રૂકૂઅ–સજદહથી ઉઠવામાં ઈમામ સા.થી મોડું ન કરવું જોઈએ, બલ્કે જો ત્રણ વાર તસ્બીહ પઢતાં પહેલાં ઈમામ રૂકૂઅ–સજદહથી ઉઠવા લાગે તો મુકતદીએ પણ ઉઠી જવું જોઈએ. ત્રણ વાર તસ્બીહ પુરી કરવાની ફિકરમાં ન રહેવું જોઈએ. (શામી, ભાગ–૧/૩૧૬)
Log in or Register to save this content for later.