[૩૮પ] મસબૂક માટે ઈમામ સાથે અત્તહિય્યાત અને દુરૂદ પઢવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 415)

સવાલ :– (૧) મગરિબની નમાઝમાં આપણી પહેલી રકઅત છૂટી ગઈ અને બીજી રકઅતમાં શામેલ થયા ત્યારે ઈમામ સાહેબ કઅ્‌દહમાં બેસે છે તો બીજી રકઅતમાં શામીલ થનારે અત્તહિય્યાત પઢવી કે નહિ ? અને જ્યારે ઈમામ સાહેબ ત્રીજી રકાતમાં હોય ત્યારે પાછળથી શામિલ થનારની બીજી રકાત થશે તો તે રકાતમાં શામિલ થનારને દુરૂદે ઈબ્રાહીમ તથા દુઆ પઢવું પડે ?

જવાબ :–(૧)  બીજી રકાતમાં શામિલ થનાર મુકતદીએ (મસ્બૂકે) પહેલા કઅ્‌દહમાં ઈમામ સાથે ‘‘અત્તહિય્યાત પઢવી જોઈએ અને છેલ્લા કઅ્‌દહમાં ધીમે ધીમે ‘‘અત્તહિય્યાત પઢી માત્ર ‘‘અત્તહિય્યાત જ પૂરી કરવી જોઈએ. દુરૂદ–દુઆ ન પઢવી જોઈએ.                                     (શામી, ભાગ–૧/૩૩૩–૩૪૩)

Log in or Register to save this content for later.