[૩૮૩] ભીડની શકયતાથી ઈમામ સાથે સફ ન બનાવાય

Chapter : નમાઝ

(Page : 413)

સવાલ :– રમઝાનના ચાંદના દિવસે મગરિબની અઝાન થઈ અને જ્યારે જમાઅત ઉભી થઈ તકબીર કહેવામાં આવી તો ઈમામની પાછળ બે જ સફો હતી, અને જ્યારે નમાઝ પૂરી થઈ ત્યારે કેટલા માણસોને (જગ્યાની તંગીના લઈ) જમાઅત મળી ન હતી, ત્યારે એક માણસે ઈમામ સા. સામે વાંધો ઉઠાવ્યો કે તમોએ આગળ સફ બનાવવી જોઈતી હતી, કેમ ન બનાવી ? ઈમામ સાહેબે જવાબ આપ્યો કે જમાઅત ઉભી થઈ ત્યારે બે જ સફ હતી, પાછળથી માણસો આવ્યા તેની મને કેવી રીતે ખબર પડે. તે ભાઈનું કહેવું છે કે પહેલેથી જ સફ આગળ બનાવવી જોઈએ, તો આપ સંતોષકારક જવાબ આપશો.

જવાબ :– નમાઝ શરૂ કરતી વખતે જેટલી સંખ્યા હશે તે પ્રમાણે સફો બનાવવામાં આવશે. પાછળથી આવનાર લોકો માટે જગ્યા ન હોય તો તેઓ ઈમામ સાથે સફ બનાવી શકે છે. પાછળથી ભીડ થશે એવી શક્યતાને કારણે શરૂ નમાઝથી ઈમામ સાથે સફ ન બનાવવી જોઈએ. સફોની તરતીબના મસાઈલથી એ જ માલૂમ પડે છે. (કિફાયતુલ મુફતી : ૩/૯૩)

Log in or Register to save this content for later.