Chapter : નમાઝ
(Page : 412)
સવાલ :– મને સખત બેહરાશ છે. કિંવા જમાઅતખાનામાં બેઠો હોય અને અઝાન માઈક ઉપર થાય તે પણ સંભળાતી નથી તો હું ઈમામ સા.ની પાછળ (જમાઅતમાં) નમાઝ પઢતો હોય ત્યારે દિલના ઈરાદાથી દુઆ માંગુ તો નમાઝમાં વાંધો આવશે કે કેમ ? કારણ કે કિરાઅત કે કોઈ અવાજ સંભળાતો નથી અને દુન્યવી ખ્યાલ લગાતાર આવ્યા કરે છે તો તે ખ્યાલોને દૂર કરવા ઝબાન કે હોઠની હરકત વિના દિલથી દુઆ માગી શકુ છું કે નહિ ?
જવાબ :– ચાહે મુક્તદીને ઈમામનો અવાજ સંભળાતો ન હોય, તો પણ તેણે બિલ્કુલ ખામોશ ઉભા રહેવું જરૂરી છે, દુઆમાં મશ્ગૂલ ન થવું જોઈએ. હા, એમ વિચારે કે ઈમામ અલ્હમ્દુની ફલાણી ફલાણી આયત, જેમાં આવો મજમૂન છે પઢતા હશે, તો આ પ્રમાણે વિચાર કરવામાં કોઈ વાંધો નથી. (શામી, ભાગ–૧/૩૬૬)
Log in or Register to save this content for later.