[૩૮૦] ઈમામ પાછળ કિરાઅત ન પઢવાની દલીલ

Chapter : નમાઝ

(Page : 411)

સવાલ :–(ર)  ઉલમાએ એહલે હદીસ ”લા સલાત ઈલ્લા બિફાતિહતિલ કિતાબ” ને દલીલરૂપે બયાન કરીને ઈમામની પાછળ સૂરએ ફાતિહા પઢવું જરૂરી બતાવે છે તો મજકૂર હદીસની વિગત જણાવશો.

જવાબ :–(ર)  ઉપરોક્ત જવાબ નં. (૧)માં બયાન કરવામાં આવેલ હદીસો અને કુર્આને કરીમમાં અલ્લાહ તઆલાના ફરમાન

وَإِذَا قُرِیَٔ القُرْآن فَاسْتَمِعُوا لَہُ وَاَنْصِتُوا۔

અને જયારે ઈમામ કિરાઅત કરે તો તમો ધ્યાનથી સાંભળો અને ખામોશ રહો.

ના કારણે હનફી ફિકહ મુજબ બધી જ નમાઝોમાં અને માલિકી–હમ્બલી ફિકહ મુજબ જહરી નમાઝોમાં સૂરએ ફાતિહા પઢવી અને બધા જ ઈમામોની ફિકહ મુજબ સૂરએ ફાતિહા સિવાય બીજી કોઈ સૂરત પઢવી દુરુસ્ત નથી અને મજકૂર હદીસમાં માત્ર ઈમામ અને મુન્ફરિદ માટેનો હુકમ વર્ણવવામાં આવ્યો છે. ઉક્ત બીજી હદીસો અને આયતના કારણે આ હુકમ મુક્‌તદીને લાગુ પડતો નથી.

Log in or Register to save this content for later.