Chapter : નિકાહ
(Page : 127-128)
સવાલઃ– જો એ બાઈ કોઈ મુસલમાન સાથે નિકાહ કરવા માંગે તો તેના આગલા મર્દથી છુટા છેડા લેવાની જરૂર ખરી ? તેણીને સિવીલ મેરેજ કરવાની શી જરૂર રહેશે ? તેના ધણીથી છુટાછેડા લીધા નથી અને તેનો ધણી છુટાછેડા આપતો નથી અને બાઈ બીજા મુસલમાન સાથે નિકાહ કરવા માંગે છે તો શરીઅતમાં તેનો શું હુકમ છે, અહિંના મોલ્વી સાહેબોને પૂછવાથી તેઓ સિવિલ મેરેજ પહેલાં કરો પછી અમે નિકાહ પઢાવીએ તો તેઓ કયા આધારે એ પ્રમાણે માંગે છે, તો આપ સાહેબો મને શરીઅત પ્રમાણે ખુલાસો કરી આભારી રહેશો.
જવાબઃ– મુસલમાન સાથે નિકાહ કરવા માટે આગલા હિંદુ પતિથી છુટાછેડા લઈ લેવાની જરૂરત તો નથી, પરંતુ સરકારી કાયદાઓ જોતાં જો શકય હોય તો છુટાછેડા લઈ લેવા જોઈએ અને જો તે ન આપે તો ઉપરોકત જવાબ મુજબ ત્રણ હૈઝ (માસિક) આવી ગયા પછી નિકાહ આપોઆપ તૂટી જશે અને ત્યાર પછી ઈદ્દત ગુજારીને કોઈ મુસલમાન સાથે નિકાહ પઢી શકશે. (શામીઃ ભાગ–ર)
શરીઅતની રૂએ નવમુસ્લિમહ ઓરત સાથે કોઈ મુસલમાનના નિકાહ પઢવા માટે પ્રથમ સિવિલ મેરેજ કરવા જરૂરી તો નથી, પરંતુ સરકારી કાયદાઓની ગુંચ અને આજકાલના નાજુક વાતાવરણને અનુલક્ષીને પ્રથમ સિવિલ મેરેજ કરવામાં આવે છે, તાકે પાછળથી સરકારી માથાકૂટો ઉભી ન થાય, ઉલમાએ કિરામ નિકાહ કરનાર સ્ત્રી–પુરુષની ખૈર–ખ્વાહીના કારણે આવી સલાહ આપે છે અને તે આવકાર દાયક છે.
Log in or Register to save this content for later.