[૮૮] બીજો નિકાહ ન કરવાનો પત્નીથી વાયદો

Chapter : નિકાહ

(Page : 126-127)

સવાલ :– અમારે ત્યાં એક મર્દ અને તેની ઓરત સુખ ચૈનથી રહેતા હતા. પોતાના જીવનમાં એક દિવસે ધણીએ પોતાની ઓરતને પૂછયું કે કદાચ હું મરી જાઉં તો તુ શું કરે? તો તેના જવાબમાં ઓરતે પૂછયું કે  કદાચ હું પહેલી મરી જાઉં તો તમે શુ કરો?  તો ધણીએ જવાબ આપ્યો કે બીજી શાદી ન કરું, તો ઓરતે જવાબ આપ્યો કે હું પણ બીજી શાદી નહીં કરું. ત્યારપછી કુદરતી રીતે ધણીનું એકસિડન્ટમાં અવસાન થયું અને આજે લગભગ ત્રણ વર્ષ થઈ ગયા. તો હવે પૂછવાનું એ કે મજકૂર ઓરત બીજી શાદી કરી શકે છે કે નહિ? અને જો શાદી કરી શકતી હોય તો પછી બન્‍નેવે જે પોતાની હયાતીમાં અહદો પૈમાન (વાયદો) કર્યા છે તેનું શું ? આશા છે કે સંતોષકારક જવાબ આપી, સવાબે દારૈન હાસિલ કરશો. યાદ રહે કે ઓરતની ઉમર ફકત ર૮–ર૯ વર્ષની છે.

જવાબઃ– નિકાહ પૂરી ઉમર નિભાવવાની સુન્‍નત છે, માટે તે સુન્‍નતને છોડવાનું વચનપાલન કરવું જરૂરી નથી અને મજકૂર વચનપાલનમાં દીની નુકસાનનો ભય છે, એ દ્રષ્ટિએ પણ મજકૂર અહદો પૈમાન નિભાવવો મુસ્તહબ નથી. મજકૂર વચનના ત્યાગ કરવા માટે કોઈ ફિદયા કે હીલાની બિલકુલ જરૂરત નથી.     (કવકબ –ભાઃ ર)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ઈબાદત માટે એકાંતવાસના હેતુથી પણ આવો સામુહિક નિર્ણય લેવા પર અણગમો અને મનાઈ ફરમાવી છે.     (બુખારી, નિકાહ– ભાઃર)

Log in or Register to save this content for later.