Chapter : નમાઝ
(Page : 410)
સવાલ :–(૧) કિરાઅત ખલ્ફલ ઈમામના સંબંધી ઈમામોનો મતભેદ જણાવશો અને ઈમામ શાફઈ (રહ.)ની તેમજ ઈમામ અબૂ હનીફહ (રહ.)ની દલીલો હવાલા સહિત જણાવશો.
જવાબ :–(૧) ઈમામ શાફઈ (રહ.) ફરમાવે છે કે મુક્તદી માટે ઈમામ પાછળ સૂરએ ફાતિહા પઢવી વાજિબ છે. હા, જો સૂ
રએ ફાતિહા પઢવા જતા રકઅત છૂટી જવાનો ભય હોય તો વાજિબ નથી અને તેઓની દલીલ નીચેની હદીષો છે.
بقولہ علیہ الصلوٰۃ والسلام لا صلوۃ لمن لم یقرأ بأم القرآن۔ متفق علیہ وقولہ علیہ الصلوۃ والسلام من صلی صلوۃ لم یقرأ فیھا بأم القرآن فھی خداج ثلاثاً فقیل لأبی ھریرۃ إ نّا نکون وراء الإمام فقال إقرأ بھا في نفسک۔ الحدیث رواہ مسلم وغیرہ
અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ફરમાન મુજબ કે તે માણસની નમાઝ નહીં ગણાય જેણે સૂરએ ફાતિહા ન પઢી. (મુત્તફક અલયહિ) અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના ફરમાન કે જેણે નમાઝ પઢી અને તેમાં સૂરએ ફાતિહા ન પઢી તો તેની નમાઝ અધૂરી છે (ત્રણ વખત ફરમાવ્યું), હઝરત અબૂ હુરૈરહ (રદિ.) થી પૂછવામાં આવ્યું કે અમો તો ઈમામની પાછળ હોઈએ છીએ, તો આપે ફરમાવ્યું કે તમો તેને મનમાં પઢો.
ઈમામ અબૂ હનીફા (રહ.) ઈમામની પાછળ મુક્તદી માટે સૂરએ ફાતિહા પઢવાને વાજિબ નથી માનતા અને જહરી નમાઝોમાં ઈમામ માલિક (રહ.) અને ઈમામ અહમદ (રહ.)નું એ જ મંતવ્ય છે અને ઈમામ અબૂ હનીફા મુક્તદીના સૂરએ ફાતિહા પઢવાને મકરૂહે તહરીમી ફરમાવે છે અને તેઓની દલીલમાં આ હદીષો છે.
ولنا قولہ علیہ السلام إذا صلیتم فاقیموا صفوفکم ولیؤمکم احدکم وزاد مسلم فی روایتہ وإذا قرأھا فانصتوا ۔۔۔ وقولہ علیہ الصلاۃ والسلام من صلی خلف الإمام فقراء ۃ الإمام لہ قراء ۃ
(کبیري صـ : ۴۵۲)
અને અમારી દલીલ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ ફરમાન છે કે જયારે તમો નમાઝ પઢવા માંડો તો સફો સીધી કરી લો અને તમારામાંથી કોઈ એક તમારી ઈમામત કરાવે. અને ઈમામ મુસ્લિમ (રહ.)એ પોતાની રિવાયતમાં આ વધારો કર્યો છે કે ”અને જયારે ઈમામ તેની કિરાઅત કરે તો તમો ખામોશ રહો. ––– અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું આ ફરમાન છે કે જેણે ઈમામની પાછળ નમાઝ પઢી તો ઈમામની કિરાઅત તેની કિરાઅત ગણાશે. (કબીરી–૪પર પ્રકાશન દેવબંદ)
Log in or Register to save this content for later.