Chapter : નિકાહ
(Page : 125-126)
સવાલઃ– આપ સાહેબે (નિકાહ માટે કમ થી કમ બે મુસલમાન મર્દ અથવા એક મર્દ અને બે ઓરતોની ગવાહી જરૂરી છે) તેમ દર્શાવેલ, આવી ગવાહીથી નિકાહ તો થઈ જાય છે, પરંતુ ફરીવાર સમાજના અંદર લોકો સમક્ષ કરવામાં આવે અને તે પણ કોઈ જાતની તલાક આપ્યા વિના, તો શું તે નિકાહ જાઈઝ છે? અને તે એક વખત નિકાહ કર્યા પછી તે જ ઓરત સાથે ફરીથી નિકાહ કરવામાં ઈસ્લામ શું કહે છે? જો આ રીતે નિકાહ થતા હોય, તો આગળ કરેલા નિકાહની મહેર ફરી નિકાહ કરે તેમાં તે ચાલી શકશે? અથવા ફરી બીજીવાર આપવી પડશે?
જવાબ :– જો પ્રથમ વાર કરેલા નિકાહ શરીઅતના હુકમ મુજબ થયા હોય તો સામાન્ય હાલતમાં કોઈ કારણ વિના તે જ ઓરતથી બીજી વાર નિકાહ પઢવાની જરૂરત નથી અને તેનો કોઈ અર્થ અને લાભ પણ નથી, પરંતુ જો કોઈ માણસ અલ્લામા શામી (રહ.) ના લખવા મુજબ એ હેતુથી કે શકય છે કે મારાથી અથવા મારી ઓરતથી જહાલતના કારણે કુફ્રિયહ શબ્દ નીકળી ગયો હોય, માટે મર્દ ઓરત બન્નેવે કલિમો પઢી ફરીવાર એહતિયાત રૂપે નિકાહ પઢી લેવા બેહતર છે, જરૂરી નથી. અને બેહતર એ પણ છે કે કમ થી કમ મહર ૩૧ ગ્રામ ચાંદીની કિંમતના બરાબર નકકી કરી લેવામાં આવે, જો મહેર ન નકકી કરવામાં આવે તો પણ વાંધો નથી. (શામી–૧/ર૯)
Log in or Register to save this content for later.