Chapter : નમાઝ
(Page : 108-109)
સવાલ :– અમારા આણંદ શહેરમાં આશરે ૧૦ થી ૧ર મસ્જિદો આવેલ છે. તેમાંથી એક – બે મસ્જિદ છોડી દરેક મસ્જિદમાં કુરઆન શરીફની તરાવીહ થાય છે. બે મસ્જિદોમાં ”અલમ્ તર” ની તરાવીહ થાય છે, જેથી તરાવીહથી જલદી ફારિગ થઈ જવાય. આ બે મસ્જિદો શહેરની છેવાડે આવેલી છે. હવે માહોલ એવો બન્યો છે કે તરાવીહથી જલદી ફારિગ થઈ જવાય તે હેતુથી લોકો પોતાના મહોલ્લાની મસ્જિદ છોડી ”અલમ્ તર” ની તરાવીહ પઢવા ત્યાં જાય છે. તો શું આ પ્રમાણે મહોલ્લાની મસ્જિદ છોડી જલદી ફારિગ થવા બીજી મસ્જિદમાં જઈ શકાય ?
જવાબ :– દરેક મહોલ્લાની મસ્જિદમાં જમાઅત સાથે તરાવીહ પઢવી સુન્નતે મુઅકકદહ અલલ્ કિફાયહ છે. જો મહોલ્લાની મસ્જિદમાં તરાવીહ જમાઅત સાથે નહીં પઢે તો બધા મહોલ્લાવાળા ગુનેહગાર થશે. અને પોતાના મહોલ્લાની મસ્જિદમાં નમાઝ પઢવી બીજા મહોલ્લાની મસ્જિદમાં પઢવા કરતાં અફઝલ છે. અને મહોલ્લાની મસ્જિદમાં નમાઝ પઢવાથી મહોલ્લાની મસ્જિદનો હક અદા થાય છે, ફઝીલત પ્રાપ્ત થાય છે અને સુન્નત અલલ્ કિફાયહ અદા થાય છે, જયારે બીજા મહોલ્લાની મસ્જિદમાં તરાવીહ પઢવાથી આ ફઝીલતો પ્રાપ્ત થતી નથી, માટે અફઝલ અને બેહતર એ જ છે કે રમઝાનુલ મુબારક જેવા મહિનામાં જેમાં રહમતની વર્ષા અને સવાબની કષરત પ્રાપ્ત થાય છે, સહૂલતના ખાતર આ ફઝીલતો છોડવી ન જોઈએ.
(શામી–૧/૪૪૩,૪૭૩, કાઝીખાન કમ આલમ–૧/૬૭)
Log in or Register to save this content for later.