[૩૭૮] બિદઅતીના કારણે મસ્જિદની જમાઅત છોડવી

Chapter : નમાઝ

(Page : 409)

સવાલ :– એક મસ્જિદ છે, તેના ઈમામ સા. બિદઅતી છે અને તેઓ બિદઅત પર ઝોર આપે છે. પોતાની તકરીરોમાં દેવબંદના આલિમોની બુરાઈ કરે છે. આવી હરકતોના લઈને અમુક ભાઈઓએ એક બીજા મકાનને ઈબાદતગાહનું સ્વરૂપ દઈ નમાઝ શરૂ કરી છે. ત્યાં પાંચ ટાઈમની નમાઝ બા–જમાઅત થાય છે. બીજી મસ્જિદ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં શરીઅત અને સહીહ તરીકા મુજબ અમલ અને ઈબાદત થાય, આવા સંજોગોમાં અમને મુંઝવણ ઉભી થઈ છે કે હાલ મસ્જિદ છે પણ ઈમામ બિદઅતી છે, જ્યારે બીજી તરફ ઈબાદતગાહ છે અને ઈમામ સહીહ અકીદા (અહલે સુન્નત)ના છે. આ બન્નેવમાં ક્યાં નમાઝ પઢવી અફઝલ છે ?

જવાબ :– જો બિદઅતી ઈમામનો કોઈ અકીદો ગલત હોય તો તેની પાછળ નમાઝ પઢવી જાઈઝ નથી અને જો કોઈ અકીદો તો ગલત નથી, પરંતુ સવાલમાં લખવા મુજબ આલિમોની બુરાઈ કરવાથી તે ફાસિક છે તો તેની પાછળ નમાઝ પઢવી કરાહત સાથે જાઈઝ છે અને બીજી જગ્યાએ કરાહત વગર સુન્નતો અને અદબોની રિઆયત સાથે જમાઅત થતી હોય અને તે જગ્યા ચાહે ઈબાદતગાહ હોય, મસ્જિદ ન હોય તો પણ તે ઈબાદતગાહની જમાઅત સાથે નમાઝ પઢવી અફઝલ છે.  (શામી, ભાગ–૧/૩૭૬, કબીરી : પ૧૪)

અને જયારે કે ઘરની જમાઅત પરિપૂર્ણ છે, જેવી રીતે કે મસ્જિદનો ઈમામ ઘરની જમાઅતમાં તેને પુરી કરવાની સાથે સુન્નતોમાં કંઈક કોતાહી કરતો હોય તો ઘરની જમાઅત અફઝલ છે, તો પછી શું કહેવું જયારે કે મસ્જિદનો ઈમામ અમુક વાજિબાતમાં કોતાહી કરતો હોય જેવી રીતે કે આજકાલના ઘણા ખરા ઈમામો કરે છે.

Log in or Register to save this content for later.