[૩૭૭] મસ્જિદના સહનમાં બીજી જમાઅત

Chapter : નમાઝ

(Page : 408)

સવાલ :– અસરની નમાઝ અથવા કોઈ ફર્ઝ નમાઝ પછી અમુક સાથીઓ મળી ફર્ઝ નમાઝ મસ્જિદના સહનમાં પઢે તો નમાઝ થશે કે નહિં ? અથવા બીજી જમાઅત કરવું કેવું છે ?

જવાબ :– જો મસ્જિદનું સહન શરઈ મસ્જિદની હદમાં દાખલ ન હોય અને કોઈકવાર શરીઅત માન્ય કારણે જમાઅત છૂટી ગયા પછી તે સહનમાં બીજી જમાઅત કરવામાં આવે તો જાઈઝ છે. બાકી મસ્જિદની હદમાં દાખલ હોય એવા સહનમાં બીજી વાર જમાઅત કરવી મકરૂહ છે. એવી જ રીતે વારંવાર બીજી જમાઅત કરવી અને મસ્જિદની જમાઅતને છોડવાની આદત બનાવી લેવી એ નાજાઈઝ અને મકરૂહ છે.(શામી : ૧)

Log in or Register to save this content for later.