Chapter : નમાઝ
(Page : 103-104)
સવાલ :– એક સરકારી કર્મચારી (પોસ્ટ માસ્તર) હાફિઝે કુર્આન છે, શરીઅતના પાબંદ છે પરંતુ પોસ્ટ ખાતામાં સર્વિસ કરે છે, આ કર્મચારી રમઝાન માસની તરાવીહ પઢાવે છે તો તેમની પાછળ તરાવીહ પઢવી કેવી છે? તરાવીહ પઢાવી શકાય?
જવાબ :– પોસ્ટ માસ્તરનું મુખ્ય કામ ટપાલનો સામાન વેચવાનું છે અને પોતાની નિગરાનીમાં ટપાલ રવાના કરાવવાનું તથા મનીઓર્ડર લેવા રવાના કરવાનું છે જે જાઈઝ છે, પરંતુ સાથે સેવિંગ્સ ખાતાઓની કાર્યવાહી પણ હોય છે જેમાં વ્યાજ યુકત ખાતામાં પૈસા જમા કરવા, વ્યાજનો હિસાબ લખવાનો હોય છે જે નાજાઈઝ છે. જો વ્યાજવાળું કામ ઓછું હોય અને બીજું કામ વધુ હોય અને બીજા કોઈ ગૈર મુસ્લિમથી કરાવી શકતા હોય તો એ પ્રમાણે વ્યવસ્થા કરી નોકરી કરવી જાઈઝ છે. અને આવું નાજાઈઝ કામ ન કરવું પડે એટલે બીજી મુકમ્મલ રીતે જાઈઝ કામની નોકરી મળતાં સુધી આ નાોકરી ચાલુ રાખી, તવબહ–ઈસ્તિગફાર કરતા રહેવું જોઈએ અને જો એમના સિવાય બીજા કોઈ હાફિઝ સાહેબ તરાવીહ પઢાવનાર હોય તો તેઓને આગળ કરવા જોઈએ અને બીજા કોઈ હાફિઝ સાહેબ તરાવીહ ન પઢાવી શકતા હોય તો મજકૂર હાફિઝ પોસ્ટ માસ્તર તરાવીહ પઢાવી શકે છે. (ફતાવા મહમૂદિય્યહ – ૧૩, નિ.ફતાવા–ર/૩ર૧)
Log in or Register to save this content for later.