[પ૩] તરાવીહની એક ભૂલ અને કઝા

Chapter : નમાઝ

(Page : 97-98)

સવાલ :–  એક હાફિઝ સા. તરાવીહમાં જે પારહ રર, રુકૂઅ ૪ માં છે તેના બદલે

પઢયા, મતલબ કે ભૂલથી ‘લા શબ્દ છૂટી ગયો તો નમાઝમાં કંઈ વાંધો આવશે કે પછી બીજા દિવસે ફકત આયત જ દોહરાવવી પડશે. જો નમાઝ સહીહ ન થઈ હોય તો એ બે રકઅત બીજા દિવસે અથવા મસ્અલહ માલૂમ પડયા પછી કઝા કરવી પડશે ? કઝા અલગ અલગ કરવામાં આવે કે પછી જમાઅત સાથે કઝા કરવામાં આવે ?

જવાબ :– પૂછેલી સૂરતમાં કિરાઅતમાં થયેલી ભૂલથી નમાઝ ફાસિદ થઈ ગઈ છે. માટે તરાવીહની જે બે રકઅતમાં આ ભૂલ થઈ હોય તેની કઝા કરવી પડશે અને તે કઝા જમાઅતથી નહિં કરવામાં આવે, બલ્કે અલગ અલગ પઢવામાં આવશે અને બે રકઅતમાં પઢેલી કિરાઅત હવે પછી જમાઅતથી પઢાતી કોઈ પણ અદા તરાવીહમાં ફરીવાર પઢી લેવામાં આવે તા કે તરાવીહનું કુર્આન પઢવા–સાંભળવામાં અધૂરૂ ન રહે.    (તહતાવી)

Log in or Register to save this content for later.