Chapter : નમાઝ
(Page : 96-97)
સવાલ :– હમારા ગામમાં રમઝાનુલ મુબારકની સાતમી તરાવીહમાં છેલ્લી રકઅતમાં સજદએ તિલાવત હતો. તેમાં ઈમામ સાહેબે સૂરએ અઅ્રાફની સજદહની આયત પઢતા પહેલાં ઉપરની આયત પઢીને ‘‘ગાફિલીન પર સજદએ તિલાવત કર્યો, ત્યાર બાદ ઉભા થઈને ‘‘યસ્અલૂનક અનિલ્ અન્ફાલથી શરૂ કર્યું પછી પાછળથી એક હાફિઝ સાહેબે ભૂલ બતાવી અને સજદહની આયત પઢાવી. ઈમામ સાહેબે આયત તો પઢી, પરંતુ સજદહ કરવાનું ભૂલી ગયા અને નમાઝ પૂરી કરી તો મજકૂર સૂરતમાં સજદહની આયત પહેલાં સજદહ કરવાથી અને સજદહની આયત પર સજદહ ન કરવાથી તરાવીહ થશે કે કેમ ? અગર નહિ થાય હમોએ તરાવીહની નમાઝ કઝા પઢવી પડશે કે કેમ ? અને આ સૂરતમાં ઈમામ સાહેબે સજદએ સહ્વ પણ કર્યો નથી. માટે સજદએ સહ્વ ન કરવાનો શું હુકમ છે ?
જવાબ :– સૂરએ અઅ્રાફમાં માત્ર ગાફિલીન સુધી પઢવાથી સજદએ તિલાવત વાજિબ થતો નથી, બલ્કે તે પછીની છેલ્લી આયત પઢવાથી સજદહ વાજિબ થાય છે. પૂછેલી સૂરતમાં ‘‘ગાફિલીન સુધી પઢીને કરેલો સજદહ પાછળથી આયતે સજદહ પઢવાથી વાજિબ થયેલા સજદએ તિલાવત માટે પૂરતો નથી.
અને આયતે સજદહ તિલાવત કર્યા પછી સજદએ તિલાવત કર્યા વગર સૂરએ અન્ફાલ શરૂ કરી અને બે–ત્રણ આયતોથી વધારે કિરાઅત કરીને અથવા સલામ ફેરવીને કોઈ નમાઝ વિરૂધ્ધ કામ કર્યા વગર અને મસ્જિદથી બહાર નીકળતા પહેલાં પણ સજદએ તિલાવત અને સજદએ સહ્વ બન્નેવ છૂટી ગયેલા ગણાશે, કારણ કે આયતે સજદહ પછી બે–ત્રણ આયતો પઢીને પણ સજદએ તિલાવત કરવાથી છેલ્લે સજદએ સહ્વ કરવો વાજિબ હતો. મજકૂર સૂરતમાં તરાવીહ દુરૂસ્ત તો ગણાશે અને સજદએ તિલાવત છૂટી જવા બદલ તવબહ–ઈસ્તિગફાર કરવા જોઈએ, પરંતુ એહતિયાતની વાત એ છે કે દરેક માણસ જેમણે તરાવીહની મજકૂર બે રકઅત પઢી હોય તે જમાઅત વગર બે રકઅત તરાવીહ એકલા–એકલા લોટાવી લે, કારણ કે વાજિબના છૂટવાથી નમાઝમાં જે નુકસાન થાય છે તેની તલાફી થઈ જાય.
(શામી, ભાગ–૧/૪૯પ–પ૧૮)
Log in or Register to save this content for later.