[૮૪] કાઝીથી છોકરીનું નામ બોલવામાં ભૂલ થઈ જાય

Chapter : નિકાહ

(Page : 123-124)

સવાલઃ– શબ્બીર નામી છોકરાના નિકાહ હફીઝા બિન્તે વલી આદમ સાથે નકકી થયા હતા, નિકાહ વખતે નિકાહ પઢાવનાર કાઝી સાહેબે વકીલ – ગવાહ અને મહેફિલમાં હાજર લોકો સામે નિકાહનો ખુત્બો પઢી આ રીતે નિકાહ પઢાવ્યા કે ”ભાઈ શબ્બીર ૩પ૧ રૂા. મહેર કે એવજ મે હફીઝા બિન્તે વલી આદમ કી સાહબઝાદી કો આપકે નિકાહ મેં બીવી બના કર દિયા જાતા હે આપકો કબૂલ હે, દુલ્હાને જવાબમેં કબૂલ કર લિયા” તો એક ભાઈનું કહેવું છે કે આ રીતે નિકાહ પઢાવવાથી હફીઝાની છોકરી સાથે નિકાહ પઢાવવાનો મતલબ એવો થાય છે કે છે, જે હજુ આ  દુન્યામાં પેદા પણ થઈ નથી તો આ નિકાહ કોની સાથે થયો? હફીઝા સાથે કે હફીઝાની છોકરી સાથે થયો? શું આ રીતના નિકાહ જાઈઝ ગણાશે? કે ફરીવાર નિકાહ કરવા જરૂરી છે? અગર પાછળથી ખ્યાલ આવ્યો અને ખુત્બો પઢયા વગર ભૂલ સુધારી પૂછી લેવામાં આવે તો સહીહ ગણાશે કે કેમ? અને ભૂલ ન સુધારી અને નિકાહ થઈ ગયા તો એનું શું ? ઝીમ્મેદાર કોણ કહેવાશે ?

જવાબઃ– પૂછેલી સૂરતને લગતી બીજી સૂરતોના મસાઈલથી માલૂમ પડે છે કે ચાહે કાઝી સાહેબની મુરાદ અને નિય્યત અને દુલ્હા અને ગવાહીની નિય્યત શબ્બીર અને હફીઝાના નિકાહ પઢવા – પઢાવવાની જ હોય, પરંતુ કાઝી સાહેબથી ઓરતનું નામ બોલવામાં જે પ્રમાણે ભૂલ થઈ છે તે ભૂલના કારણે શબ્બીર અને હફીઝાના નિકાહ દુરસ્ત થયેલા નહિ ગણાય અને હાલ હફીઝાની કોઈ સાહબઝાદી નથી એટલે શબ્બીરના નિકાહ હફીઝાની સાહબઝાદી સાથે પણ થયેલા નહીં ગણાય, મતલબ કે પૂછેલી સૂરતમાં શબ્બીરના નિકાહ કોઈપણ ઓરત સાથે થયેલા નહીં ગણાય.      (શામી :ર/ ર૭પ)

                જો પાછળથી ભૂલનો ખ્યાલ આવતા ખુત્બો પઢયા વગર ગવાહોની સામે દુરસ્ત તરીકાથી ઈજાબ કબૂલ થઈ ગયા હશે, તો નિકાહ દુરસ્ત થઈ જશે. અને જો ફરીવાર ભૂલ સુધારી ઈજાબો કબૂલ થયા ન હોય તો હાલ તુરંત ઓરતની ઈજાઝત – વકીલ – ગવાહો નકકી કરી ફરીવાર નિકાહ પઢી લેવામાં આવે તાકે હફીઝા અને શબ્બીર શરીઅત મુજબ કાયદેસરના પતિ – પત્ની બની જાય અને  હરામકારીમાં સપડાયેલા ન રહે.

Log in or Register to save this content for later.