[૬૮] પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલી લોન ઝકાતપાત્ર મૂડીમાંથી બાદ થશે

Chapter : ઝકાત

(Page : 104)

સવાલઃ– પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલી રકમ દેવા તરીકે ગણાય કે કેમ? અને તેને ઝકાત આપતી વખતે દેવા તરીકે મૂડીમાંથી બાદ કરવામાં આવશે કે નહિ ?

જવાબ  :– પ્રોવિડન્ટ ફંડમાં જે રકમ છે તે તો ખાતેદારની જ છે, તેણે પોતાની રકમ લીધી છે, તેને દેવું કેવી રીતે ગણાય. માટે તેને ઝકાતપાત્ર મૂડીમાંથી બાદ ન કરી શકાય. હા, પોતાના કપાયેલા ફંડ કરતા વધારે લોન લીધી હોય તો વધારાના પ્રમાણને દેવું ગણવામાં આવશે અને ઝકાતપાત્ર મૂડીમાંથી બાદ કરી શકાય.                 (શામી પેજ :ર/ ૭)

Log in or Register to save this content for later.