[૬૭] પ્રોવિડન્ટ ફંડની ઝકાત

Chapter : ઝકાત

(Page : 103-104)

સવાલ :– પ્રોવિડન્ટ ફંડના નાણાં સરકાર પાસે જમા હોય તો ઝકાત અદા કરતી વખતે તે નાણાંને પણ ગણતરીમાં લેવા પડે કે કેમ ?

જવાબ :– સરકારના કાયદા મુજબ પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડના નામથી જે રકમ કપાય છે તેને હાલ પોતાની પાસે જમા રકમ સાથે ગણત્રીમાં નહિ લેવી પડે. જયારે  તે ફંડની રકમ વસૂલ થઈ જાય તો જો પોતાની પાસે તે ફંડની વસૂલાતના સમયે ઝકાતપાત્ર કોઈ મૂડી નિસાબભર પહેલેથી હતી તો હવે ફંડની જે રકમ વસૂલ થઈ તેની ચાલુ વર્ષની ઝકાત પોતાની પાસેની અસલ મૂડીનું ઝકાત વર્ષ પૂરૂં થવાથી અસલ મૂડી સાથે આપવાની રહેશે અને જો ફંડ વસૂલાત વખતે કોઈ ઝકાત પાત્ર મૂડી નિસાબભર ન હતી તો હવે વસૂલાત પછી જયારે ફંડની રકમ પર વર્ષ વિતી જાય અને કંઈ દેવું વગેરે ન હોય ત્યારે ઝકાત આપવી ફર્ઝ થશે. પરંતુ જો કોઈ માણસ એહતિયાત કરી પ્રોવિડન્ટ ફંડની કપાત રકમને ગણતરીમાં લે અને વસૂલ થયે પાછલા વર્ષોની પણ ઝકાત આપે તો બેહતર છે.         (શામી : ર/૩૬, ઈ.ફતાવાઃ ર/પ૦)

Log in or Register to save this content for later.