[૪૯] છેલ્લી તરાવીહોમાં કિરાઅત

Chapter : નમાઝ

(Page : 93-94)

સવાલ :– અમારે ત્યાં માહે રમઝાન મુબારકમાં સત્તાવીસમી તરાવીહમાં કુર્આન મજીદ પૂરું થઈ જાય છે, ત્યાર પછી બાકી રહેતી રાતોની તરાવીહમાં એ પ્રમાણે કિરાઅત પઢવામાં આવે છે કે પહેલી બે રકઆત તરાવીહની પહેલી રકઅતમાં સૂરએ યાસીનનો પહેલો રુકૂઅ અને બીજી રકઅતમાં સૂરએ ફીલ પઢવામાં આવે છે, તે પછીની બીજી બે રકઆતમાંથી પહેલી રકઅત (એટલે તરાવીહની ત્રીજી રકઅત)માં સૂરએ યાસીનનો બીજો રુકૂઅ અને બીજી રકઅતમાં સૂરએ કુરૈશ પઢવામાં આવે છે, આ રીતે તરાવીહની પહેલી દસ રકઆતો પઢયા પછી બીજી દસ રકઆતોમાંથી દર બે રકઆતની પહેલી રકઅતમાં સૂરએ રહમાનનો એક રુકૂઅ અને બીજી રકઅતમાં કુર્આન શરીફની છેલ્લી દસ સૂરતો (સૂરએ ફીલથી સૂરએ નાસ સુધી)માંથી એક એક સૂરત સૂરએ ફાતિહા સાથે મીલાવી પઢવામાં આવે છે. તો શું છેલ્લી બે–ત્રણ તરાવીહોમાં આ રીતે કિરાઅત કરવી જાઈઝ છે ?

જવાબ :– કુર્આન શરીફ તરાવીહમાં પૂરું થઈ ગયા પછી છેલ્લી તરાવીહોમાં સવાલમાં લખવા મુજબ કિરાઅત કરવી વિના કરાહતે જાઈઝ છે; પરંતુ નમાઝમાં કિરાઅત કરવાનો બેહતર તરીકો આ છે કે દરેક રકઆતમાં સૂરએ ફાતિહા પછી પૂરી સૂરત પઢવામાં આવે.(‘શામી ૧/૩૬૩,૩૬૭)

Log in or Register to save this content for later.