Chapter : ઝકાત
(Page : 102)
સવાલ :– એક તાજિરને ઝકાત કાઢવી છે, પોતાના વેપારના માલના એક નંગની ખરીદી કિંમત રૂપિયા ૧૦/– છે અને એ ભાઈ નફો ચઢાવીને એક નંગ રૂપિયા ૧પ/–માં વેચે છે. હવે આ વેપારીએ તિજારતી માલની ઝકાત ખરીદી ભાવ રૂપિયા ૧૦/–ના હિસાબથી કાઢવી કે વેચાણ કિંમત ૧પ/–ના હિસાબે કાઢવી?
જવાબ :– માલ – સામાનનો વેપાર કરનાર વ્યકિત જયારે પોતાના તિજારતી સામાનની ઝકાત રૂપિયાથી અદા કરવા ચાહે તો સામાનની કિંમત વેપારીના ખરીદ ભાવથી આંકવામાં નહિ આવે, બલ્કે ઝકાત અદા કરતી વેળાએ બજારમાં તે વસ્તુનો જે છુટક અને ગ્રાહક વેચાણ ભાવ ચાલતો હોય તે ભાવથી પોતાના વેપારના સામાનની કિંમત આંકી ઝકાત કાઢવામાં આવશે અને છુટક વેચાણ ભાવ તે શહેર કે જગ્યાનો મોઅતબર ગણાશે જયાં વેપારીનો માલ સામાન મવજૂદ છે, માટે પૂછેલ સૂરતમાં ખરીદ ભાવ રૂા ૧૦/–ના હિસાબે ઝકાત કાઢવામાં નહિ આવે, બલ્કે છુટક વેચાણ કિંમતથી કાઢવામાં આવશે, ચાહે તે રૂા ૧પ/– હોય કે જેમાં તે વેચે છે, ચાહે એનાથી વધતો ઓછો હોય. (શામી ૩૧ ભાગ–ર/ઈ.ફતાવા ૪૩ ભાગઃર)
Log in or Register to save this content for later.