[૧૯ર] હજ – ઉમરહ પછી મકકહમાં ઔરતથી સોહબત કરવી

Chapter : હજ

(Page : 252-253)

સવાલ :– પતિ – પત્ની બન્‍નવ હજ માટે જઈ રહયા છે, આ સફર દરમિયાન હમબિસ્તરી માટે કેવો કાનૂન છે? એહરામની હાલત વગર પોતાના રહેઠાણે મકકહમાં પોતાની પત્ની સાથે આ જાઈઝ સંબંધ બાંધી શકાય કે કેમ?

જવાબ :– ઉમરહના એહરામથી જયારે તવાફ – સઈ અને માથાના વાળ કતરાવી અથવા મૂંડાવીને હલાલ થઈ જાય અને હજના એહરામથી મર્દ ઔરત બંનેવ તવાફે ઝિયારત કરી સંપુર્ણ રીતે એહરામથી હલાલ થઈ જાય તો હવે પતિ – પત્ની હમબિસ્તરી કરી શકે છે, ચાહે તે મકકહમાં હોય તો પણ વાંધો નથી, બલ્કે ઉમરહ અને હજનો એહરામ બાંધતાં પહેલાં જો ઔરત સાથે હોય અને કોઈ રૂકાવટ ન હોય તો હમબિસ્તરીથી  ફારિગ થવું મુસ્તહબ છે.     (ઝુ.મનાસિક  ભા.૧)

Log in or Register to save this content for later.