[૬૦] વારસદારો પર ઝકાતનો હુકમ

Chapter : ઝકાત

(Page : 98-99)

સવાલ :– ઝૈદ અને તલ્હા બે ભાઈઓ છે, તેઓએ તેમની મિલ્કત રૂપિયા સાત લાખમાં વેચી, તેથી બંનેના ભાગે સાડા ત્રણ લાખ, સાડા ત્રણ લાખની રકમ આવે, ઝૈદ કે જેનું મૃત્યું થયું છે અને તેમની સાત અવલાદ છે, ત્રણ ભાઈ અને ચાર બહેનો, હવે જેણે જમીન લીધી છે તેણે આ પૈકી પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા છે, જેમાંથી અઢી લાખ રૂપિયા ઝૈદની અવલાદના ભાગના એક વ્યકિત પાસે ઘરે મૂકેલા છે. આ રકમને એક વર્ષ વીતી ગયું છે અને બીજું વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે તો હવે તેની ઝકાત માટે શું કરવું ? તે માટે યોગ્ય સલાહ આપશો.

નોંધ :–

               ઝૈદની જે સાત અવલાદ છે તેમાંથી બધા સાહિબે નિસાબ નથી. કેટલાક સાહિબે નિસાબ છે અને કેટલાક સાહિબે નિસાબ નથી.

જવાબ :–  ઝૈદના વારસદારોમાં મઝકૂર રકમ ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓમાં દસ ભાગોમાં એ પ્રમાણે વહેંચાશે કે દરેક પુત્રને બે ભાગ અને દરેક પુત્રીને એક ભાગ મળશે.

               જે બાલિગ વારસદારો મઝકૂર પોતાના ભાગની રકમથી અથવા બીજી કોઈ ઝકાતપાત્ર માલ મૂડીથી સાહિબે નિસાબ હશે તેઓએ બન્નેવ વર્ષોની ઝકાત આપવી પડશે અને પોતાના ભાગની મઝકૂર રકમની પણ ઝકાત આપવી પડશે, એ વાત યાદ રહે કે બાલિગ માણસ સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર રકમથી પણ સાહિબે નિસાબ થઈ જાય છે અને તેણે ઝકાત આપવી ઝરૂરી છે.                                                                                                                        (શામી – ર)

Log in or Register to save this content for later.