Chapter : નિકાહ
(Page : 106-107)
સવાલ :– અમારા કુટુંબમાં શાદીનો પોગ્રામ તૈયાર થઈ રહયો છે, બે છોકરાના નિકાહ કરવાના છે તો શું મુહર્રમમાં નિકાહ કરી શકાય કે નહિ? સફર માસમાં નિકાહ થાય કે નહિ?
જવાબ :– મુહર્રમ અને સફર મહીનામાં નિકાહ કરવા જાઈઝ છે, તેમાં કોઈ કરાહત નથી અને મજકૂર મહીનાઓમાં નિકાહ કરવાથી કોઈ બે બરકતી નહીં થાય, નિકાહ પોતે જ એવો નેક સુન્નત અને બરકત વાળો અમલ છે કે છોકરા – છોકરીના બાલિગ થયા પછી તેમાં જલ્દી કરવાનો હુકમ છે અને તે ગમે તે મહિનામાં કરવો જાઈઝ અને બરકતી છે, તેના માટે કોઈ મહિનો મન્હૂસ અને અપશુકનયાબ નથી.
Log in or Register to save this content for later.