[૧૮૯] તવાફે ઝિયારત અને સઈ વખત પછી પૂરા થાય

Chapter : હજ

(Page : 250-251)

સવાલ :– એક ઘરના ચાર વ્યકિતઓની જમાઅત હજમાં ગઈ, ૧૧ ઝુલહજના સાંજે શૈતાનને કાંકરી મારવા તેમજ તવાફે ઝિયારતના ઈરાદે નિકળ્યા, બે શેતાનને કાંકરી મારી ત્રીજા શૈતાનને કાંકરી મારવા જતાં એક માણસ (બાપ) ગુમ થઈ ગયા, બાકીના ત્રણ જણ ત્રીજા શેતાનને કાંકરી મારી ફારિગ થઈ ગયા અને મગરીબની નમાઝ બાદથી બીજા દિવસે બપોરે ઝવાલ બાદ ત્રણેએ કાંકરી મારી ગુમ થયેલ બાપને શોધતાં રહયા છેવટે ઝોહરની નમાઝ પછી સવારી લઈ મકકહ શરીફ રવાના થયા ટ્રાફિક વગેરેના લઈને ઘણો ટાઈમ નિકળી ગયો કઅબહ શરીફમાં દાખલ થઈ જલ્દી અસરની નમાઝ પછી તવાફે ઝિયારત શરૂ કરી દીધો, પણ મગરીબની અઝાન શરૂ થઈ તે વખતે પોણા પાંચ જેટલા ચકકર થયા હતા તો બાકીના ચકકર તેમજ સઈ મગરીબની નમાઝ બાદ અદા કરી તો આ ત્રણેવ વ્યકિતઓ મા–બાપ માટે તવાફે ઝિયારતમાં તાખીર થવાથી શું હુકમ છે?

જવાબ :– પૂછેલી સૂરતમાં માં–દિકરાઓના તવાફે ઝિયારતના ત્રણ ચકકરો તવાફનો વખત પૂરો થઈ ગયા પછી મોડેથી અદા થયા છે એટલે દરેક વ્યકિતએ મોડા અદા કરેલા ત્રણ ચકકરોમાંથી એક ચકકર દીઠ અડધો સાઅ (એટલે લગભગ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં) અથવા તેની રોકડ કિંમતનો સદકો કરવો પડશે. અને સઈ અય્યામે નહર વીતી ગયા પછી કરવાથી કોઈ કફફારો વાજિબ નહિ થાય પરંતુ વિના કારણે સઈ મોડી અદા કરવી મકરૂહ છે.

Log in or Register to save this content for later.