[૬૯] બાલિગ છોકરાનું વાલિદૈનની મરજી વિરૂધ્ધ નિકાહ કરવું

Chapter : નિકાહ

(Page : 105)

સવાલઃ–  અહીં થોડા વખત પહેલાં એક નિકાહ થયા, જેમાં મિયાં – બીવી બન્‍નેવ રાજી હતા, પણ છોકરાના માં – બાપની મરજી ન હતી, તો શરીઅતની રૂએ આમાં કોઈ કબાહત (બુરાઈ) ખરી ?

જવાબઃ– બાલિગ છોકરા માટે પોતાના માં–બાપની મરજી વિરૂધ્ધ જગ્યાએ નિકાહ કરવા જાઈઝ તો છે, પરંતુ મુસ્તહબ એ છે કે વાલિદૈન રાજી અને ખૂશ હોય એવી જગ્યાએ નિકાહ કરે, કારણ કે હદીષથી સાબિત છે કે જો વાલિદૈન છોકરાને તેની ઓરતને તલાક આપી દેવા આદેશ આપે, તો તેણે તલાક આપી દેવી મુસ્તહબ કે વાજિબ છે.(ઈ. ફતાવા –૪/૪૮પ)

Log in or Register to save this content for later.