Chapter : હજ
(Page : 248-249)
સવાલ :– ગુમ થયેલા માણસે ૧૧ તારીખે કાંકરી મારી અને તવાફે ઝિયારત પણ એ જ રાતે કર્યો, પરંતુ ઉપરના ત્રણ માણસો બે દિકરા અને એક ઔરત (બીજા)ના ઈન્તેજારમાં હરમ શરીફમાં જ બેસી રહયા તેમજ મિના આવવા માટે એમના પાસે પૈસા પણ ન હતા અને ઘડપણના લઈ કમઝોરી પણ હતી જેથી ૧રમી તારીખે કાંકરી પણ ન મારી એમના એક દિકરાએ ૧રમી તારીખની કાંકરી ગુમ થએલ બાપ તરફથી મારી જેની એમને ખબર પણ ન હતી, જેની જાણ પછી થઈ તો શરીઅતમાં આ બાબત ગુમ થયેલ માણસ નો શું હુકમ છે ?
જવાબ :– ગુમ થયેલ માણસની ૧રમી તારીખની વાજિબ રમી છૂટી ગઈ છે એટલે તે બદલ એક દમ આપવો પડશે જે ત્યાં હરમમાં જ આપવો પડશે. (ઝુ. મનાસિક – ૧૪૯)
અને ગુમ થયેલ માણસ તરફથી તેઓના દિકરાએ તેઓની રજા અને જાણ વગર મારેલી ૧રમીની કાંકરી મોઅતબર અને દુરસ્ત નહિ ગણાય. (ગુન્યહ – ૧૦૦)
Log in or Register to save this content for later.