[૪પ] ઈફતારીની રકમમાંથી હાફિઝને હદિયો અને મીઠાઈ વહેંચવી

Chapter : નમાઝ

(Page : 87)

સવાલ :– અમારે ત્યાં રમઝાનુલ મુબારકમાં રોઝા ઈફતાર માટે બહારથી પૈસા આવે છે. તે રકમથી તરાવીહ પઢાવનારને હદિયો આપવો તેમજ ર૭મી રાત્રે કુર્આન શરીફના ખતમ ઉપર શીરીની વહેંચવી જાઈઝ છે કે નહિં ?

જવાબ :– જે પૈસા ખાસ ઈફતારી માટે મોકલવામાં આવે છે તેમાંથી તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબને હદિયો આપવો અને ર૭મી રાત્રે કુર્આન શરીફના ખતમ ઉપર તેમાંથી શીરીની લાવીને વહેંચવી જાઈઝ નથી. ઈફતારી માટે આવેલી રકમ ફકત ઈફતારીમાં જ વાપરવી જોઈએ. જો વધે તો રકમ મોકલનારની સૂચના મુજબ વધારાની રકમ વાપરવી જોઈએ.     (આલમગીરી, ૪૬૪–ભાગ ર/ કિ. મુફતી, ૧૪૯–ભાગ ૭)

Log in or Register to save this content for later.