[૩૬૦] સફોથી અલગ રહી ઈક્‌તિદા મકરૂહે તહરીમી છે

Chapter : નમાઝ

(Page : 389)

સવાલ :– ઘણાં નમાઝીઓએ જમાઅતખાનામાં ઈમામ સાથે જમાઅતથી નમાઝ અદા કરી, પરંતુ એક માણસ જમાઅતખાનામાં જગ્યા હોવા છતાં સફોથી અલગ ઊભા રહીને ઈમામની ઈકિતદામાં નમાઝ અદા કરે છે તો તે માણસનો ફર્ઝ અદા થશે કે નહિ ? અને આ પ્રમાણે ઈકિતદા કરવી કેવું છે ?

જવાબ :– જે માણસે જમાઅતખાનામાં સફોમાં જગ્યા હોવા છતાં બહારના સહનમાં ઊભા રહી ઈમામની ઈકિતદામાં નમાઝ પઢી તો તેની ઈકિતદા તો સહીહ અને દુરૂસ્ત થઈ જશે અને ફર્ઝ અદા થઈ જશે. પરંતુ અધૂરો અને કરાહતે તહરીમી સાથે ફર્ઝ અદા થશે. કારણકે સફોમાં જગ્યા હોવા છતાં સફોથી અલગ ઊભા રહીને જમાઅતની નમાઝ પઢવી મકરૂહે તહરીમી છે અને આ પ્રમાણે કરવા ઉપર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ વઈદ બયાન ફરમાવી છે કે,

‘‘જે માણસ સફને કાપશે તો અલ્લાહ તઆલા તેને (પોતાની રહમતથી) કાપી નાંખશે.                                 (‘શામી ૧/૩૮૩,૩૯૩)

Log in or Register to save this content for later.