[૬૪] છોકરીની સગાઈમાં તેની રઝામંદી જરૂરી છે

Chapter : નિકાહ

(Page : 99-100)

સવાલઃ– મારી છોકરી ઉમર લાયક છે, મારી ઘરવાળી હાલ સુધી તેની માના ઘરે છે, મારી છોકરીના સગાઈના રિશ્તા આવે છે, ઈસ્લામ અનુસાર છોકરી તથા માંને પૂછીને રિશ્તો નકકી થાય છે, પણ અહીં મારી તકલીફ એ છે કે અગર સારો રિશ્તો મારી પાસે આવે છે તો શું હું મારી છોકરીને પૂછયા વગર રિશ્તો કરી શકું? કારણ કે મારી સાળીના છોકરા સાથે મારી છોકરીના રિશ્તાની વાત આવેલ પણ મને મંજૂર નથી, માટે હું શું કરું તે વિષે શરીઅતનું વર્ણન કરશો. મારા સુસરાલ વાળા તદ્દન બિદઅતી છે, સમાધાન માટે અરજી કરેલ પણ કોઈ હિસાબથી આવવા તૈયાર નથી. શર્તો રાખે છે જે ઈસ્લામ વિરોધી છે, જેમાં (૧) શર્ત મારી છોકરીની સગાઈની પણ છે, તો આ બાબતે  શરીઅતનું વર્ણન સારી રીતે લખી રવાના કરશો.

જવાબ :– બાલિગ છોકરીના નિકાહ માટે તેની રજા અને મંજૂરી લેવી જરૂરી છે, બાલિગ છોકરીની મંજૂરી વગર અને ઈચ્છા વિરૂધ્ધ રિશ્તો નકકી કરવો અને નિકાહ કરાવવા એ જાઈઝ અને સહીહ નથી અને જયાં છોકરી કે છોકરીની માં નિકાહ કરાવવા ઈચ્છતી હોય તે છોકરો દીનદારીની દ્રષ્ટિએ છોકરી માટે બરાબર ન હોય તો બાપની રાજીખુશી અને મંજૂરી વગર તેવા છોકરા સાથે છોકરીએ નિકાહ કરવા એ પણ જાઈઝ અને સહીહ નથી.(શામી. ર)

                પતિ – પત્ની વચ્ચે સુલહ સમાધાન માટે અયોગ્ય શર્તો જમાઅતે રદ કરવી જોઈએ અને શરીઅત વિરૂધ્ધ વર્તન અને શર્તો મૂકનાર પક્ષને જમાઅતે, તે છોડવા ઉપર આગ્રહ કરવો જોઈએ અને શરીઅત મુજબ પરસ્પર એક બીજાના હકકો અદા કરવા દરેક પક્ષને બંધન કરવા જોઈએ.

Log in or Register to save this content for later.