Chapter : હજ
(Page : 247-248)
સવાલ :– ગયા વર્ષે મને તથા મારા વાલિદહ તથા હમારા ઘરમાંથી હમોને અલ્લાહ પાકના ફઝલો કરમથી હજે બયતુલ્લાહ જવાનું નસીબ થયું હતું. દુઆ કરશો કે અલ્લાહ પાક હમારી હજને કબૂલ ફરમાવે, બીજું લખવાનું કે હમે હજમાં ગયા પછી મીનામાં શયતાનને પત્થર મારવા ગયા, બે દિવસ તો હમારી વાલિદહ તથા હમારા ઘરમાંથી પણ પત્થર મારવા સાથે આવ્યા હતા, ત્રીજા દિવસે પત્થર મારવા જતાં એટલી ગીરદી હતી કે ઘણા લોકો ત્યાં જ ઈન્તિકાલ પામ્યા હતા (ઈન્ના લિલ્લાહિ……..) એટલે હમોએ ત્રીજા દિવસે હમારી વાલિદહ તથા હમારી અહલિયહને સાથે અહીં લઈ જઈને એમના વતી હમોએ પત્થર માર્યા હતા, તો શું હમારે દમ દેવો પડશે? અને હજ વખતે આજુ બાજુના કોઈ હજમાં જશે તેને કહી આપીએ કે કુરબાની કરો તેમાં હમારો પણ દમ આપવા એક અથવા બે હિસ્સા રાખશો તો હમારો દમ અદા થઈ જશે. શું દમમાં મોટું જાનવર ચાલશે કે બકરો લેવો પડશે કે પછી દમ આપવો નહિ પડે કારણ કે અમારી સાથે ઘણા જ લોકો ઔરતો લઈ નહિ ગયા હતા.
જવાબ :– જે પુરૂષ કે ઔરત ઉભા રહીને નમાઝ પઢી શકતા હોય અને ચાલી ફરી શકતા હોય તેણે પોતાની રમી (કાંકરી મારવી) માત્ર રમી કરનારાઓની ભીડના કારણે બીજા પાસે કરાવવી જાઈઝ નથી. માટે તમારી વાલિદહ અને અહલિયહ ઉપર ત્રીજા દિવસની રમી પોતે ન કરવા બદલ દમ આપવો જરૂરી છે, અને હજમાં જનાર કોઈ વ્યકિતને સવાલમાં લખ્યા મુજબ દમ આપવાનો વકીલ બનાવી દમ આપવાથી દમ આદા થઈ જશે અને વાલિદહ તથા અહલિયહ બન્ન તરફથી મોટા જાનવરમાં બે ભાગો રાખવાથી અથવા બે બકરા ખરીદી દમ આપવાથી દમ અદા થઈ જશે. મજકૂર દમ માટે બકરો ખરીદી દમ આપવો જરૂરી નથી. (ઝુ. મનાસિક – ૧૬૪)
Log in or Register to save this content for later.